Pages

Search This Website

Sunday 5 February 2023

તડકામાં બેસીને ગોળ સાથે છાસ પીઓ:તડકામાં છાસ નુકસાન નહીં કરે, સાંધાનો દુખાવો છે તો છાસ પીવાનું ટાળો

તડકામાં બેસીને ગોળ સાથે છાસ પીઓ:તડકામાં છાસ નુકસાન નહીં કરે, સાંધાનો દુખાવો છે તો છાસ પીવાનું ટાળો




ઘણાં લોકો એવા હોય છે જેમને જમવાની સાથે છાસ પીવાની ટેવ હોય છે. તો ઘણાં લોકો જમ્યા બાદ છાસ પીએ છે. જમ્યા બાદ જો છાસ પીવામાં આવે તો જમવાનું બરાબર પચી જાય છે, છાસમાં અનેક પ્રકારના પોષક તત્ત્વો હોય છે ને તેની તાસીર ઠંડી હોય છે. ઉનાળાની ઋતુમાં છાસ પીવી ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ બદલાતી ઋતુમાં જો કેટલીક બાબતોનું ધ્યાન રાખીને છાસનું પીવામાં આવે તો પણ ફાયદો થઇ શકે છે. આયુર્વેદચાર્ય અમિત સેન જણાવી રહ્યા છે બદલાતી ઋતુમાં છાસ પીવાની સાચી રીત.

પોષણથી ભરપૂર હોય છે છાસ

છાસમાં કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. આ સિવાય તેમાં પોટેશિયમ, વિટામિન-બી અને ફોસ્ફરસ પણ ભરપૂર પ્રમાણમાં હોય છે. દરરરોજ છામ પીવાથી શરીરમાં કેલ્શિયમની ઉણપ નથી થતી.




છાસ પીવાનો સાચો સમય અને સારી રીત

છાસની તાસીર ઠંડી હોય છે. એટલા માટે તેને ક્યારેય ખાલી પેટ ન પીવો. ખાલી પેટે છાસ પીવાથી પેટમાં દુખાવો અને શરીરમાં ભારેપણું થઈ શકે છે. શિયાળામાં કે બદલાતી ઋતુમાં હંમેશા તડકામાં બેસીને છાસ પીવી જોઈએ જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સવારે, સાંજે કે રાત્રે છાસનું સેવન કરવાનું ટાળવું જોઈએ. જો સવારે, સાંજે કે રાત્રે છાસ પીવામાં આવે તો ગળામાં દુખાવો થઈ શકે છે અને શરદી, ફ્લૂ અને તાવનું જોખમ પણ રહે છે.

ગોળ સાથે છાસ પીવાથી તાસીર બદલાઈ જાય છે. ડાયાબિટીસ હોય તો તડકામાં છાસ પીઓ

ઉનાળામાં લોકો મીઠું નાખી છાસ પીવે છે, પરંતુ શિયાળામાં ગોળના નાના ટુકડા છાસ સાથે ખાય છે. ખરેખર, ગોળની તાસીર ગરમ હોય છે. જ્યારે ગોળને છાસ સાથે પીવામાં આવે છે જે ગરમી અને ઠંડીનું સંતુલન થાય છે અને શરદી અને ફ્લૂની સમસ્યા નથી. પરંતુ જો ડાયાબિટીસની સમસ્યા હોય તો છાસ સાથે ગોળ ન ખાવો જોઈએ. તેના બદલે છાસમાં કાળું મીઠું, શેકેલું જીરું પાવડર અને અજમા નાખીને પીવું.




સાંધાના દુખાવા હોય તો છાસથી દૂર રહેવું જોઈએ.

જો તમારે રાત્રે છાસ પીવી હોય તો સરસવનું તેલ ગરમ કરો અને તેમાં આખા મરચાં, સરસવ અને જીરું નાખીને છાસમાં વઘાર કરો. પરંતુ જો સાંધામાં દુખાવો હોય કે હાડકામાં દુખાવો થતો હોય તો કોઈપણ રીતે છાસ પીવાનું ટાળો.

દૂધ અને દહીં સાથે છાસ પીવાથી પેટમાં દુખાવો થાય છે.

તમે નાસ્તામાં બટાકાના પરાઠા કે ચપાતી સાથે છાસ પણ પી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે દૂધ કે દહી જેવી ડેરી પ્રોડક્ટ્સ છાસ સાથે ન લો. તેનાથી અપચો અને પેટમાં દુખાવો થઈ શકે છે.



દૂધ અને દહીં સાથે છાસ પીવાથી પેટમાં દુખાવો થઇ શકે

તમે નાસ્તામાં આલુ પરાઠા કે ચપાતી સાથે છાસ પણ પી શકો છો. પરંતુ ધ્યાનમાં રાખો કે દૂધ કે દહી જેવી ડેરી પ્રોડક્ટ્સ છાસ સાથે ન લો. તેનાથી અપચો અને પેટમાં દુખાવો થઈ શકે છે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser